ચાર વર્ષીય બાળાનું અપહરણ... ને ... અપહરણ બાદ...

jainshilp samachar

સુરત - હવસખોરે 4 વર્ષીય બાળાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પાંડેસરામાં ઘર નજીક રમતી 4 વર્ષીય બાળકીનું અપહરણ કરીને એક 40 વર્ષીય નરાધમ પોતાની રૂમમાં લઈ ગયો ને ત્યાં આ નરાધમે બાળકી પર દુષ્કર્મ કર્યું બાદ બાળકીને જ્યાં રમતી હતી ત્યાં મૂકીને જતો રહ્યો હતો. 
પાંડેસરા પોલીસ સૂત્રો અનુસાર મૂળ બિહારના ઔરંગાબાદનો રમેશ (નામ બદલ્યું છે) પરિવાર સાથે પાંડેસરાના વડોદ ગામની સીમમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. સૌથી નાની દીકરી 4 વર્ષની રમીલા (નામ પરિવર્તિત) છે. રવિવારે બપોરે રમીલાની માતા ઘરની નીચે કપડા ધોતી હતી. તે સમયે આરોપી અજય રામાભાઈ પટેલ (40 વર્ષ.રહે. એસએમસી આવાસ,વડોદ) રમીલાનું અપહરણ કરીને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ થોડા સમયમાં ફરીથી તે જ્યાં રમતી હતી ત્યાં મુકીને જતો રહ્યો હતો. થોડા સમયમાં રમીલાની માતા તેને ઘરે લઈ ગઈ હતી. રમીલાને પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો થતો હોવાનું તેની માતાને જણાવ્યું ને કહ્યું કે અજય અંકલ તેને લઈ ગયો અને તેની સાથે ખરાબ કામ કર્યું હતું. રમીલાની માતાએ પતિની રાહ જોઈ હતી. સાંજે તેનો પતિ આવ્યો હતો. ત્યારે આ ઘટના વિશે જણાવ્યું હતું. રાત્રે અજય આવ્યો તો તેને પકડી લીધો હતો. અજયે કહ્યું કે તેણે રમીલા સાથે કાંઈ નથી કર્યું. ત્યારે રમીલાએ બધાની વચ્ચે કહ્યું કે અજય અંકલે તેની સાથે ખરાબ કામ કર્યું હતું. લોકોએ અજયને પકડી લીધો હતો. રમીલાની માતાએ ફરિયાદ આપતા પાંડેસરા પોલીસે અપહરણ, બળાત્કાર, પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને અજયની ધરપકડ કરી છે. મૂળ નડિયાદના રામનગરનો અજય પટેલ વરસોથી આવાસમાં રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને એક દીકરો છે. તે સવારે પીવાના પાણીનો બાટલો ઘરો-ઘરે પહોંચાડવાનું કામ કરે છે. બપોર બાદ મજુરી કામ કરે છે. તે પાંચ દિવસથી રમીલાના ઘરે પાણીનો બાટલો નાખવા જતો હતો.

વિડિયો જોવા માટે ક્લિક કરો - અહીં ....              https://youtu.be/fD0dkd8lOFM