મનોજ કુમારની દુનિયામાંથી અલવિદા

manoj kumar alvida

મનોજ કુમારની દુનિયામાંથી અલવિદા

(પીયુષ પરમાર, અમદાવાદ)
મનોજ કુમારનો જન્મ સન 1937ની 24મી જુલાઇએ પાકિસ્તાનના અબોટ્ટાબાદ નગર, ખૈબર પશ્તુનહવા પ્રાંત ખાતે થયો હતો. તેમનું મૂળ નામ હરિકૃષ્ના ગિરિ ગોસ્વામી હતું. જ્યારે તેઓ ૧૦ વર્ષના હતાં ત્યારે તેમનું કુટુંબ વિભાજન વખતે દિલ્હી આવી ગયું હતું. તેમનું કુટુંબ વિજય નગર અને કિંગ્સ્વે કેમ્પમાં શરણાર્થી તરીકે રહ્યું અને ત્યારે બાદ નવી દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં સ્થાયી થયું હતું. 
તેઓ ભારતના ચલચિત્ર કલાકાર અને બોલીવુડ ચલચિત્રના નિર્માતા છે. તેમની ફેમસ ફિલ્મોમાં હરિયાલી ઓર રાસ્તા, વો કોન થી?, હિમાલય કી ગોદ મેં, દો બદન, ઉપકાર, પથ્થર કે સનમ, નીલ કમલ, પુરબ ઓર પશ્ચિમ, રોટી કપડા ઓર મકાન, અને ક્રાંતિનો સમાવેશ થાય છે.  તેઓ દેશભક્તિ સંબંધિત ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન માટે જાણીતા છે, અને "ભારત કુમાર"ના હુલામણાં નામે જાણીતાં છે. ૧૯૯૨-૯૩માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
યુવાનીમાં તેઓ દિલીપ કુમારના પ્રશંસક હતા, અને તેમનું નામ દિલીપ કુમારના ચલચિત્ર શબનમ (૧૯૪૯) ના પાત્રના નામ ઉપરથી મનોજ કુમાર રાખવાનું નક્કી કર્યું.
ફેશન (૧૯૫૭)માં નાનકડું પાત્ર ભજવ્યા બાદ, મનોજ કુમારે કાંચ કી ગુડિયા (૧૯૬૦)માં સાયેદા ખાન સાથે અગ્ર પાત્ર ભજવ્યું. પિયા મિલન કી આસ અને રેશમી રુમાલ ફિલ્મે વિજય ભટ્ટ દ્વારા દિગ્દર્શિત હરિયાલી ઓર રાસ્તા (૧૯૬૨)માં માલા સિંહા સાથે આવી હતી. સાધના સાથે તેમણે વો કોન થી (૧૯૬૪)માં ફિલ્મમાં રોલ કર્યા બાદ, વિજય ભટ્ટ અને માલા સિંહા સાથે હિમાલય કી ગોદ મેં ફિલ્મમાં (૧૯૬૫)માં કામ કર્યું. મનોજ કુમાર અને રાજ ખોસલાએ કલાકાર-દિગ્દર્શક તરીકે દો બદન ફિલ્મમાં સફળતા મેળવી, જે રાજ ખોસલાનાં ઉત્તમ દિગ્દર્શન, મનોજ કુમાર અને આશા પારેખનાં અભિનયો અને રવિના સંગીત, શકીલ બદાયુનીનાં ગીત માટે જાણીતું બન્યું હતું.
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અનેક બોલિવુડના કલાકારોને મળ્યો હતો. જેમાં મનોજ કુમારનો પણ સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવવામાં યશ ચોપરા, દેવ આનંદ, મૃણાલ સેન, અદૂર ગોપાલકૃષ્ણન, શ્યામ બેનેગલ, તપન સિન્હા, મન્ના ડે, વી. કે. મૂર્તિ, ડી. રામાનાયડૂ, કે. બાલાચંદર, સૌમિત્ર ચેટરજી, પ્રાણ, ગુલઝાર, શશિ કપૂર,  કે. વિશ્વનાથ, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, રજનીકાન્ત, આશા પારેખ સહિત મનોજ કુમારનો સમાવેશ થાય છે. મનોજ કુમારને સન ૨૦૧૫માં આ પુરસ્કાર અપાયો હતો.