GLOBAL CSR અને ESG શ્રેષ્ઠતા નો પુરસ્કાર સ્વીકારતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા
global csr

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને સમાજ પ્રત્યેની જવાબદારી, પર્યાવરણ, સામાજિક અને શાસન (ESG) ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ "૨૦૨૫ નું શ્રેષ્ઠ GLOBAL CSR અને ESG એવોર્ડ" નારાયણ સેવા સંસ્થાન ગ્લોબલ પ્રેસિડેન્ટ શ્રી પ્રશાંત અગ્રવાલ ના વરદ હસ્તે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા ને અર્પણ કરેલ. જેમાં વિવિધ પર્યાવરણ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સંસ્થાઓને સન્માન કરવામાં આવ્યુ હતું.
जल है तो कल है એ સૂત્ર ને સાર્થક કરતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ની કાર્ય પધ્ધતિ લોકો વધુ માં વધુ અપનાવા લાગ્યા છે. ભવિષ્યમાં પાણી બાબતે તકલીફ ન પડે તેના માટે વર્તમાન કાળ માં વરસાદનું શુદ્ધ પાણી બચાવવા સંપૂર્ણ આત્મનિર્ભર બની રહ્યા છે. કારણ કે આપણે ગયા વર્ષો માં અનુભવેલ છે કે અઢળક વરસાદ પડે છતાં પણ દિલ્હી, બેંગ્લોર, જેવી હાલત ન થાય. હાલમાં ભારત અને પાકિસ્તાન ની વચ્ચે વર્ષો પહેલા સિંધુ નદી બાબતે સમજુતી થયેલ તે અનુસંધાન માં આજે પાકિસ્તાન વધુ ભાગે ભારત માંથી આવતી સિંધુ નદી નું પાણી બંધ થાય તો પાકિસ્તાન આખો દેશ પાણી વગર તરસી જાય. આજ રીતે ખાસ વાત કરીએ તો સૌરાષ્ટ્ર માં સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ પડે તો પણ વધારે પડતા નર્મદા ના પાણી પર આધારીત રહેવું પડે છે. તો આપણે ત્યાં વરસતા વરસાદ ના પાણી નું યોગ્ય જતન કરી અને સંપૂર્ણ સ્વાવલંબી બનીએ તો ક્યારેય પાણી માટે વલખા ન મારવા પડે કે દુષ્કાળ નો સામનો ન કરવો પડે.
તેથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે ખેડૂતો ને અને શહેર માં દરેક સોસાયટીઓ માં પાણી નું યોગ્ય જતન થાય તેના માટે ઉદ્યોગપતિઓ અને દાતાઓને સાથે રાખીને મીટીંગો નું આયોજન કરી સમજણ આપવામાં આવે છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૫૦ થી વધુ ચેકડેમ રીપેરીંગ, ઊંડા, ઊંચા તેમજ નવા બનાવેલ અને ૭૦૦ થી બોર રીચાર્જ કરેલ છે. ૧૧૧૧૧ ચેકડેમ તેમજ ૧૧૧૧૧ રીચાર્જ બોર કરવાનો સંકલ્પ કરેલ છે તેમાં વધુ માં વધુ લોકો જોડાઇ તો પાણી પ્રશ્ન જલ્દી હલ થાય.