ગણેશ વિસર્જન વેળા લોકોને આઈસક્રીમ ખવડાવતા કમલ બાબરિયા

ગણેશ વિસર્જન વેળા લોકોને આઈસક્રીમ ખવડાવતા કમલ બાબરિયા

જૈનશિલ્પ સમાચાર, ગણેશ વિસર્જન વેળા સિંગણપોર ગામમાં કમલ બાબરીયા દ્વારા લોકોને આઈસક્રીમ ફ્રીમાં ખવડાવવામાં આવી હતી. જૈનશિલ્પ સમાચાર અખબારના પત્રકાર ભરત માળીએ જણાવ્યું હતું કે આજની મોંઘવારીમાં સામાન્ય લોકોને બે ટંકનું ભોજન મળવું પણ અઘરું બન્યું છે ત્યારે આ સજ્જન વ્યક્તિ કમલ બાબરીયાએ માનવતાને મહેકાવે તે પ્રકારનું કાર્ય કર્યું છે. લોકોને બપોરના 1 વાગ્યાથી શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધી આઈસક્રીમ તદ્દન ફ્રીમાં ખવડાવી લોકોમાં ચાહના મેળવી અને દુઆ પણ મેળવી હતી.