આચાર્ય સી.બી. નાયક વયનિવૃત્ત થતાં સન્માન કાર્યક્રમ યોજાયો

jainshilpsamachar

આચાર્ય સી.બી. નાયક વયનિવૃત્ત થતાં સન્માન કાર્યક્રમ યોજાયો

મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગના આચાર્ય તારીખ 3જી માર્ચના ગુરુવારના રોજ સી.બી. નાયક વયનિવૃત્ત થતાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા જિલ્લાના મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન બજાર કેળવણી મંડળ સંચાલિત સાર્વજનિક વિદ્યાલયમાં પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કર્તવ્યનિષ્ઠ સી.બી. નાયક નિવૃત્ત થતાં તેમનું સંસ્થા દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું. આ પ્રસંગે  તેમનું ફુલહારથી પ્રિન્સિપાલ આર. પી. ગૌસ્વામીએ સન્માન કરી તેમની  સેવાઓને  બિરદાવી હતી. મંડળના પૂર્વ મંત્રી અને એપીએમસી મહેસાણાના શંકરભાઈ એચ. પટેલે તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.  જ્યારે મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભોગીલાલ પટેલે પ્રમાણ પત્ર અર્પણ કરી સન્માન કર્યું હતું. આમ  હોદ્દેદારોએ સી. બી. નાયકનું ભવ્ય સ્વાગત વિવિધ રીતે કર્યું હતું.