ગુજરાત પત્રકાર સંઘ કાર્યાલય અમદાવાદમાં કારોબારી મિટીંગ યોજાઈ

hariprasad raval

જૈનશિલ્પ સમાચાર, મલેકપુર
હરીપ્રસાદ રાવલ દ્વારા
ગુજરાત પત્રકાર સંઘ અમદાવાદના પ્રમુખ બી. આર.ના પ્રમુખપણા હેઠળ ગુજરાત પત્રકાર સંઘની કારોબારી મિટીંગ તાજેતરમાં તા.2જી એપ્રિલ, 2022ના શનિવારે રોજ સવારે 10 કલાકે મળી હતી. પત્રકારોને લગતા હક્કો અને પડતી સમસ્યાઓ વિષે પ્રમુખ બી.આર.પ્રજાપતિ વિસ્તૃત જાણકારી આપી હતી. સાતમી વખત પ્રમુખ બી.આર.પ્રજાપતિની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી થતાં આનંદ છવાયો છે. તદ્દઉપરાંત અન્ય પદાધિકારીઓની સર્વાનુમતે વરણી કરવાનો નિર્ણય કરાયો હતો જેમાં ઉપ-પ્રમુખ તરીકે જગદીશભાઈ બ્રહ્મભટ્ટ તથા ડો. નિખીલભાઇ શાહ તથા જનરલ સેક્રેટરી તરીકે બાબુભાઈ ચૌધરીની નિયુક્તિ કરાઇ હતી તથા ટ્રેઝરર નિલેશ વોરા તથા રક્ષિતભાઈ શેઠ તથા પરમાનંદ સોની તથા વિજય પંડ્યા તથા આર. મનિક્ષા મુગમ વગેરેની જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઈ હતી. પ્રમુખ તથા અન્ય મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું.