મલેકપુર ખાતે યુવક મંડળના સભ્યો દ્વારા મહિસાગર નદીમાં ગણેશ વિસર્જન કરાયું

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર, મલેકપુર

હરીપ્રસાદ રાવલ દ્વારા

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે પંડ્યા નરેન્દ્રભાઈ હરીશંકરના નિવાસસ્થાને મલેકપુર યુવક મંડળ દ્વારા બિરાજમાન ગણપતિના સાંનિધ્યમાં શુભ મુહૂર્તમાં મલેકપુરના સામાજિક કાર્યકર અને પત્રકાર હરિપ્રસાદ એન. રાવલના પુત્ર અમિતભાઈ એચ. રાવલ તથા મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નં 1 સભ્ય (પુત્રવધુ) મમતા એ. રાવલે બ્રાહ્મણ (મહારાજ) નરેન્દ્રભાઈ એચ. પંડ્યાની શુભ વાણીથી પૂજાઅર્ચના કરી હતી. ત્યાર બાદ પુત્ર-પુત્રવધૂ, પૌત્ર ક્રીશ રાવલ, પૌત્રી માહી તથા દાદા-દાદી સહિત સૌએ આરતીનો લાભ લીધો હતો. ત્યાર બાદ શુભ મૂહુર્તમાં ગણેશ ભગવાનને વાહનમાં બિરાજમાન કરી ઢોલ નગારા વાજિંત્રોના રણકારથી અબીલ ગુલાલ કંકુનો છંટકાવ કરી ફટાકડાના સ્વાગતથી મલેકપુર ગામના સૌ યુવક મંડળના સભ્યો સહિત દરેક સમાજના ભાઈ બહેનો તથા બાળકો સહિત નાચતાં કૂદતા મલેકપુર ગામમાં વરઘોડો ફેરવી, આયોજકો દ્વારા છેલ્લે 
ગણપતિને મહીસાગર નદીમાં ભવ્ય વિદાય આપી હતી.