ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડાયું, કોઝ-વે ઓવરફ્લો

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર, સુરત
ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીનો ફ્લો વધુ થતાં તેની સપાટી 345 સુધી પહોંચી ગયેલી છે. રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે કોઝ-વે બંધ કરવો પડ્યો હતો. પાણીની આવક વધવાથી કોઝવે ઉપરથી પાણી જવાનું શરૂ થઈ જતાં વાહન-ચાલકો માટે આ જોખમી હોવાના કારણે કોઝ-વે બંધ કરી દેવામાં આવ્યો હતો. તાપી નદીમાં પાણી વધતાં ગત રોજ સાંજના અરસામાં લોકો મોટી સંખ્યામાં કોઝવે નજીક ભેગા થઈ ગયા હતા અને કુદરતી નજારો નિહાળી રહ્યા હતા. જ્યારે માછીમારો પણ માછલી પકડવામાં મશગૂલ થઈ ગયેલા જોવા મળતાં હતાં.