ચંદ્રકાન્ત કંથારિયાની રજૂઆતને પગલે રાજ્ય કક્ષાના મંત્રી મોરડિયાએ પછાત વિસ્તારની લીધી મુલાકાત

ચંદ્રકાન્ત કંથારિયાની રજૂઆતને પગલે રાજ્ય કક્ષાના મંત્રી મોરડિયાએ પછાત વિસ્તારની લીધી મુલાકાત

જૈનશિલ્પ સમાચાર - સુરત
મોટી વેડ ખાતેના પછાત વર્ગના લોકો સાથે ભેદભાવ રખાઈ રહ્યો હોવાની રજૂઆત એડવોકેટ તથા સામાજિક કાર્યકર ચંદ્રકાન્ત કંથારિયાએ કરતાં આ અંગેની નોંધ રાજ્ય કક્ષાના મંત્રી વિનુભાઈ મોરડિયાએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. 9મી ઓક્ટોબરના શનિવારે સવારે ૯.૦૦ કલાકે રાજ્ય કક્ષાના મંત્રી વિનુભાઈ મોરડિયા આવી પહોંચ્યા હતા અને આ વિસ્તારના કાર્યો જેમ બને તેમ જલદી શરૂ કરાવવા ધરપત આપી હતી.