નિષ્ઠુર જનેતાએ બાળકીને પ્લાસ્ટિકની બેગમાં ભરી ફેંકી

jainshilp samachar

નિષ્ઠુર જનેતાએ પોતાની ક્રૂરતાનું પ્રદર્શન કર્યું હતું. તાજી જન્મેલી એક નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરાના ઢગલામાં ત્યજી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રડતી બાળકીનો અવાજ રાહદારીના કાને સંભળાતા નવજાત બાળકીને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે, ત્યજી દેવાયેલી બાળકી ઘરે જ જન્મી છે. જન્મ બાદ નાળ કાપી દોરો બાંધવામાં આવ્યો છે.
 રાહદારી ભરતના જણાવ્યા પ્રમાણે તે જ્યારે ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિર સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો ત્યારે કોઈ બાળકીના રડવાના અવાજ આવતાં  ઊભો રહી ગયો હતો અને આમ તેમ નજર કર્યા બાદ કચરાના ઢગલામાં પડેલી એક થેલીમાં હલનચલન થતું જોવા મળ્યું હતું. ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં મળી હતી. 108 દ્વારા નવી સિવિલમાં તેને સારવાર માટે ખસેડી હતી.