સંતરામપુરના બ્રહ્મસમાજના પુત્ર, પુત્રવધૂને લંડન ખાતે જવા ભવ્ય વિદાય

Jainshilp Samachar : Jayanti M. Solanki (Owner/Editor)

સંતરામપુરના બ્રહ્મસમાજના પુત્ર, પુત્રવધૂને લંડન ખાતે જવા ભવ્ય વિદાય

સંતરામપુર (મહીસાગર) નિવાસી નિતેશકુમાર મધુકરભાઇ ઉપાધ્યાયનો પુત્ર રાજભાઇ, નિતેશકુમાર
 ઉપાધ્યાય તથા પુત્ર વધુ શાલિનીબેન રાજભાઈ ઉપાધ્યાયને તારીખ 26મી સપ્ટેમ્બર, 2021ને રવિવારના રોજ અમદાવાદથી સાંજના 7.00 કલાકે લંડન જતા પ્લેનમાં રવાના થવાના હતા ત્યારે તે સમય પહેલાં બંને પક્ષના પરિવારજનોએ હાજર રહી  પુષ્પગુચ્છ આપી હાર્દિક શુભ આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી. આ સમય દરમિયાન દાદા મધુકરભાઇ, ચિમનલાલ, ઉપાધ્યાય તથા પપ્પા નિતેશકુમાર મધુકરભાઇ ઉપાધ્યાય તથા મમ્મી, જિજ્ઞાસાબેન  નિતેશકુમાર ઉપાધ્યાય તથા કાકા ભૂપેન્દ્રભાઈ ચિમન લાલ, ઉપાધ્યાય તથા છોટાઉદેપુરથી યોગેશભાઈ પંડ્યા તથા  મલેકપુરથી  હરિપ્રસાદ રાવલ તથા મલેકપુર હાલોલ, ગોધરા, વડોદરા, અમદાવાદ, ગાંધીધામ, પાલનપુરથી બન્ને વેવાઇ પક્ષ સહિત પુત્રવધૂના માતા, પિતા સહિત સગાંવહાલાં મિત્ર મંડળ વગેરે હાજર રહ્યાં હતાં અને આ સમય દરમિયાન એરપોર્ટ નજીક બહાર ખુલ્લા મેદાનમાં (બગીચા)માં હાજર સભ્યોએ પોતાનો સમય, જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા પસાર  કરી ચ્હા-નાસ્તો પણ કર્યો હતો.  છેલ્લે પ્લેન ઉપડ્યા બાદ સૌ અમદાવાદની અન્નપૂર્ણા હોટલમાં  સમૂહમાં ભોજન લીધા બાદ છૂટ્ટા પડ્યા હતા.