વરાછા સ્થિત કૌશલ વિદ્યાભવન ના વિદ્યાર્થીઓ એ સુરતમાં વગાડ્યો ડંકો
KAUSHAL VIDHYABHAVAN

જૈનશિલ્પ સમાચાર, સુરત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ 83.08% રહ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે અને 86.20% પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે. ત્યારે સુરતની નાના વરાછા સ્થિત કૌશલ વિદ્યાભવન ના વિદ્યાર્થીઓ એ સુરતમાં ડંકો વગાડ્યો છે. શાળામાં વર્ષ 2024-25 માં ધોરણ -10માં કુલ 251 વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો હતો જેમાંથી 120 વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ તથા 78 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ પ્રાપ્ત કરી સફળતા મેળવી છે, 1 વિદ્યાર્થી નાપાસ થયો છે પરંતુ સ્કૂલ તરફથી નાપાસ થયેલા વિધાર્થીઓ ને પણ માર્ગદર્શન આપી આગળ વધવા પ્રોત્સાહન આપવામાં આવશે, શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 48% વિદ્યાર્થીઓએ એ1 ગ્રેડ મેળવ્યો છે. શાળાનું પરિણામ 99.60% આવ્યું છે. 251 વિદ્યાર્થીઓમાંથી 38 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા, તથા 26 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ સાથે સામાજિક વિજ્ઞાનમાં 9 વિદ્યાર્થી, સંસ્કૃત માં 16 વિદ્યાર્થી તથા અંગ્રેજીમાં 2 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. સમગ્ર કૌશલ શાળા પરિવારે પરિણામને સેલિબ્રેશન કર્યું હતું.