વિશ્વ શાંતિદૂત બુદ્ધ વિહાર શાંતિનગર લિંબાયતના ૨૪માં વર્ધાપન દિવસના અવસરે ધમ્મ વંદના, સન્માન સમારોહ સંપન્ન
vardhapan programme
જૈનશિલ્પ સમાચાર, સુરત
વિશ્વ શાંતિદૂત બુદ્ધ વિહાર શાંતિનગર નિલગીરીના ૨૪માં વર્ધાપન દિવસના અવસરે વિશ્વ શાંતિદુત બુદ્ધ વિહારના સંસ્થાપક અધ્યક્ષ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રદેશ મહાસચિવ સુભાષભાઈ ઝાડેની અધ્યક્ષતામાં તથા પૂજનીય ભન્તે મૈત્રીય તથા ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના સુરત શહેર મહાસચિવ દિલીપ કે. સીરસાઠ, રીપબ્લિકન પાર્ટી મહિલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશાતાઈ મંગળે, કવિ ગાયક શ્રી કૃષ્ણ વાનખેડે, બૌદ્ધ સમાજ અગ્રણી સુભાષભાઈ ધુરંધર, વિષ્ણુ જગદેવની ઉપસ્થિતિમાં ધમ્મ વંદના સમાપ્ત થઈ હતી. વિશ્વશાંતિદૂત બુદ્ધ વિહારના ૨૪માં વર્ધાપન દિવસે બુદ્ધ વિહારમાં ૨૪ વર્ષથી ચાલી રહેલા બુદ્ધ આંબેડકર મિશન તથા બુદ્ધ વિહાર બાંધકામમાં સહયોગ આપનારા તમામ ભીમસૈનિક કાર્યકર્તા, ધમ્મદાન આપનાર તમામ મહાનુભાવોને યાદ કરી એમના કાર્યની પ્રશંસા કરાઈ હતી. કાર્યક્રમમાં ક્રાંતિ મહિલા મંડળ તથા ઉપાસિકા સંઘ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સૂત્ર તથા સંચાલન બૌદ્ધાચાર્ય ભાસ્કર વાનખેડે, ગણેશ અંભોરેએ સંભાળ્યું. કાર્યક્રમમાં રાજેન્દ્ર તાયડે, બબન ઈંગલે, સજેરાવ સાલવે, વિષ્ણુ ઝરે તથા અન્ય ભીમસૈનિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ અવસરે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા નંદાતાઈ ઈગલેને વર્ધાપનના ઉપલક્ષમાં સુંદર ગીત પ્રસ્તુત કર્યું સાથે સાથે વાનખેડે બંધુએ પણ એક સુંદર ભીમગીત પ્રસ્તુત કર્યું. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર તથા આમ આદમી પાર્ટી સુરત શહેર નેતા પંકજભાઈ તાયડેએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી.