સરદાર પટેલ વિદ્યાભવનના 82 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત

sardar patel vidyabhavan

સરદાર પટેલ વિદ્યાભવનના 82 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત

જૈનશિલ્પ સમાચાર, સુરત

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામમાં એ-વન ગ્રેડ મેળવવાના મામલે સુરતે મેદાન માર્યું હતું. હવે ગુજરાત બોર્ડના ધોરણ-10ના પરિણામમાં પણ સુરતે ફરી એ-વન ગ્રેડમાં રાજ્યમાં ડંકો વગાડ્યો છે. નાના વરાછા ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યાભવનના 82 વિદ્યાર્થીઓમાંથી 18 વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ પ્રાપ્ત થયો છે. જ્યારે 29 વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ પ્રાપ્ત થયો છે. તમામ વિદ્યાર્થીઓમાંથી રૂદ્ર મનોજભાઈ પોરિયાને 97.67 ટકા પ્રાપ્ત થયા છે. પિતા એન્જિનિયર હોવા છતાં દીકરાને ડોક્ટર બનવાની ઈચ્છા છે. ત્યારે બાળકના પિતાએ કહ્યું કે અમે છૂટ આપી છે. શાળાના ટ્રસ્ટીએ કહ્યું કે બાળકોને તેમની રૂચી અને રસ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવે છે. જેથી તેઓ પોતાની રીતે ખીલી શકે છે. આ સાથે શાળા પરિવાર દ્વારા પરિણામ સારુ આવતા ફટાકડા અને મોં મીઠુ કરી સેલિબ્રેશન કર્યું હતું.