સમસ્ત મહાજન દ્વારા મુન્દ્રા – બારોઇ નગરપાલિકા આયોજીત લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જાહેર આમંત્રણ

Mundra-01

સમસ્ત મહાજન દ્વારા મુન્દ્રા – બારોઇ નગરપાલિકા આયોજીત લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે જાહેર આમંત્રણ

જૈનશિલ્પ સમાચાર
વૈશ્વિક સ્તરે જળ, જમીન, જન, જંગલ, જનાવરની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા મુન્દ્રા – બારોઇ નગરપાલિકા આયોજીત બારોઇ રોડ પર આવેલ ઇ-કયુબ શોરૂમથી બાપા સીતારામ નગર તરફ જતો રસ્તો“સમસ્ત મહાજન માર્ગ” અને આશુતોષ ધામમાં ડૉ. હેમાંગ પટેલ હોસ્પિટલથી સોરઠીયા હોસ્પિટલ તરફ જતો રસ્તો “માતૃશ્રી રમાબેન ગાંગજીભાઈ મેકણભાઇ સત્રા માર્ગ” નું લોકાર્પણ અને નામકરણ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાનાં માંડવી-મુંદ્રા ધારાસભ્ય અનિરૂધ્ધભાઇ દવે કાર્યક્રમમાં અધ્યક્ષની ભૂમિકા ભજવશે. કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે થાણા, મુંબઈનાં સમસ્ત મહાજનના પ્રતિનિધિ ગીરીશભાઈ સત્રા, પ્રમુખ કિશોરસિંહ પરમાર, ઉપપ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન પાટીદાર, કારોબારી ચેરમેન ડાયાલાલ આહીર, મુન્દ્રા – બારોઇ નગરપાલિકાનાં ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા હાજરી આપશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિપકભાઇ ભેદા, મહેન્દ્રભાઇ સંગોઇ, ગીરીશભાઇ ભેદા, વસંતભાઇ ગલીયા, રવિલાલ શાહ (લીંબડી), ગોવિંદભાઇ ભાનુશાલી, ધીરજભાઇ ‘એકલવીર’, હરેશભાઇ વોરા, નેમજીભાઇ ગંગર, નેહલબેન શાહ (કોરપોરેટર), મનોજભાઇ સત્રા, કાંતીભાઇ સત્રા, ગીરીશભાઇ દેઢિયા, જીગર તારાચંદ છેડા, અશોકભાઇ ચરલા, ગુણવંતીબેન સતરા, જાગુબેન બાબુભાઇ શાહની શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ કાર્યક્રમ 26 તારીખે, રવિવારનાં રોજ સાંજે 4 વાગ્યે બારાઈ રોડ, મુંદ્રા, કચ્છ ખાતે રાખવામાં આવ્યો છે. આ અંગે વિશેષ માહિતી માટે સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ (મો. 9820020976) અને સમસ્ત મહાજન વાપીના ટ્રસ્ટી દેવેન્દ્રભાઇ જૈન (મો. 98251 29111)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.