ગુજરાત દીપોત્સવી અંક-૨૦૭૭નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થયું

jainshilp samachar

ગુજરાત દીપોત્સવી અંક-૨૦૭૭નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થયું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૭ને લોકાર્પિત કરતાં કહ્યું કે, ગરવા ગુજરાતનો સાહિત્યિક વારસો અલભ્ય અને અદભુત છે. ગુજરાતનું ખમીર અને ઝમીર દીપોત્સવી અંકના માધ્યમથી ઉજાગર થાય છે. લબ્ધપ્રતિષ્ઠિત ગુજરાતી સાહિત્ય સર્જકોની નિવડેલી કલમે ગુજરાત દીપોત્સવી અંક વાંચકો માટે પ્રતિવર્ષનું યાદગાર સંભારણું બની જતું હોય છે. મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના સચિવ સુશ્રી અવંતિકા સિંઘ, માહિતી નિયામકશ્રી ડી. પી. દેસાઈ અધિક માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ પટેલ સાથે આ પ્રસંગે મને પણ ઉપસ્થિત રહેવાની તક સાંપડી હતી.