મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તા.૧૫મીનો સુરત પ્રવાસ કાર્યક્રમ

jainshilp samachar

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તા.૧૫મીનો સુરત પ્રવાસ કાર્યક્રમ

સુરતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૧૫/૧૦/૨૦૨૧ ના રોજ સવારે ૧૦.૧૫ વાગ્યે કામરેજ રોડ, વાલક પાટિયા ખાતે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રૂ.૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર હોસ્ટેલના ડિજીટલ ખાતમુહુર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૧૨.૨૦ વાગ્યે પાલ,અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે સુરત મહાનગરપાલિકા, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ, આરોગ્ય વિભાગ તથા આદિજાતિ વિભાગના વિવિધ વિકાસકીય પ્રકલ્પોનું ઓનલાઈન લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બપોરે ૩.૦૦ વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત બેઠકમાં હાજરી આપી સાંજે ૪.૩૦ વાગ્યે પાલ,અડાજણ, ખાતે સંજીવકુમાર ઓડિટોરીયમમાં 'સરદારધામ સંસ્થા અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ' દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.