જાહેર સ્થળોએ, રસ્તા પર આતશબાજી અને ડીજે વગાડવા પર પ્રતિબંધ 

jainshilpsamachar

જાહેર સ્થળોએ, રસ્તા પર આતશબાજી અને ડીજે વગાડવા પર પ્રતિબંધ 

સૂરતઃ  સૂરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઈજાના બનાવો તેમજ દર્દીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીની સાથોસાથ જાનમાલને નુકશાન અને ટ્રાફિક અડચણ જેવા પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી શહેરના શહેર સ્પેશિયલ બ્રાંચના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.
પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં જાહેર રસ્તાઓ/ રોડ તથા ફુટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા સળગાવી રસ્તા ઉપર કે ફુટપાથ ઉપર કે કોઈ વ્યકિત ઉપર કે જાહેરમાં છુટા ફેંકવા, રાત્રીના ૧૦થી સવારના ૦૬.૦૦ વાગ્યા દરમિયાન ફટાકડા/ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ રહેશે. તેમજ તમામ કોર્ટ કચેરી, હોસ્પિટલ, શાળા-કોલેજોના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ફટાકડા ફોડવા તથા ડી. જે. વગાડવા ઉપર, પેટ્રોલ જેવા અથવા સળગી ઉઠે તેવા પદાર્થોથી રસાયણીક કારખાનાઓ આવેલ હોય તેવા વિસ્તારના ૧૦૦ મીટર વિસ્તારમાં, ખાસ કરીને ડુમ્મસ એરપોર્ટની ફરતી દિવાલ/ફેન્સીંગ તારની વાડ ઘેરાવામાં હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા ફટાકડા ફોડવા, હજીરા અને ઈચ્છાપોર પો.સ્ટેશન વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની કંપનીઓના કંપાઉન્ડના ઘેરાવામાં કોઈ પણ વ્યકિતએ હવાઈ રોકેટ અથવા આકાશ તરફ ઉડે તેવા દારૂખાના કે ફટાકડા ફોડવા કે ડી.જે.વગાડવા નહી. આ હુકમનો અમલ તા.૨૯/૦૩/૨૦૨૨ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.