કારેલીમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ

jainshilpsamachar

કારેલીમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ

જૈનશિલ્પ સમાચાર, સુરત ઃ કારેલી ગામમાં શનિવારના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ધૂમધામથી ઉજવાઈ હતી. આ પ્રસંગે સમગ્ર શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કારેલીમાં રક્તદાન, પાલખીયાત્રા કઢાઈ હતી. શિવ ચરિત્ર સોસાયટીમાંથી પાલખી યાત્રા ઢોલ નગારાસાથે કઢાઈ હતી. મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા મુન્નાભાઈ, રાજ પાટીલ સેવા અધિકારી ઝોળવા ખાતે તેમનું સ્વાગત કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વપ્નીલ પાટીલે કર્યું હતું. આયોજન દીપકભાઈ કોળી તથા તેમના મંડળ તરફથી કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો તથા મયુર માળી, વિનોદ પાટીલ, વિનોદ માળી, રવીન્દ્ર જગતાપ, યુવરાજ પાટીલ, સોસાયટીના રહીશો મહિલાઓ તથા બાળકો હાજર રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું જેમાં સંતોષભાઈ મહાજને પણ રક્તદાન કરી માનવતા દાખવી હતી.