શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ સંગીતા પાટીલ-કોર્પો. સુવર્ણા જાધવની હાજરીમાં મનાવાઈ

jainshilpsamachar

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ સંગીતા પાટીલ-કોર્પો. સુવર્ણા જાધવની હાજરીમાં મનાવાઈ

જૈનશિલ્પ સમાચાર, સુરત ઃ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ શનિવારને ૧૯મીના રોજ હતી જે પ્રસંગે સમગ્ર શહેરમાં વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સહારા દરવાજા ખાતે આવેલી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલ તથા કોર્પોરેટર સુવર્ણા જાધવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જૈનશિલ્પ સમાચાર અખબારના પત્રકાર ભરત માલીએ જણાવ્યું હતું કે  આ પ્રસંગને સફળ બનાવવામાં રૂપલ સોસાયટીના પ્રમુખ ઈશ્વરભાઈ પાટીલે ખૂબ જ મહેનત કરી હતી જેને લઈને આ કાર્યક્રમ સફળ થયો હતો.