શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ખિચડી-કઢી વિતરણ કરતા ઘનશ્યામભાઈ

Surat - કતારગામ જીઆઈડીસીની પાછળ આવેલા શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના કર્તાહર્તા જયંતિ એમ. સોલંકી દ્વારા સંચાલિત શ્રી ગુરુ દત્તાત્રેય ગૌ શાળામાં આજ રોજ ઘનશ્યામભાઈ દ્વારા લોકોને મફત કઢી-ખિચડી વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં ગરીબ વર્ગના લોકોએ હાજર રહી મફત કઢી-ખીચડીનો લાભ ઉઠાવ્યો હતો. પરમ પૂજ્ય ગુરુ ગુલાબગીરી બાપૂની કૃપાથી તથા માતા ગંગાબેનના આશીર્વાદથી આ ગૌ-શાળાનું મહાત્મ્ય દિવસે ને દિવસે વધી રહ્યું હોવાનું જયંતિ એમ. સોલંકીએ જણાવ્યું હતું. આવનારા દિવસોમાં રોજે-રોજ લોકોને મફતમાં કઢી-ખીચડી વિતરણ કરવામાં આવશે તેવી મહેચ્છા તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નવબુદ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રતનભાઈ નિકુમ તેમજ અન્ય સંતો, ભક્તો, મહંતો તેમજ પરમ પૂજ્ય મહંત શ્રી ગુલાબગીરી બાપુના શિષ્ય જયંતિ એમ. સોલંકીના માતા ગંગાબેન તથા જૈનશિલ્પ સમાચાર અખબારના પત્રકાર હિતેશભાઈ મારુ ઉપસ્થિત રહ્યા હતા.