શ્રી હનુમંત જન્મોત્સવ પ્રસંગે 16મીએ મોરારિબાપુના હસ્તે 40 એવોર્ડ અર્પણ કરાશે

jainshilpsamachar

ચિત્રકુટધામ તલગાજરડા ખાતે આગામી 16મીના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરાશે. આ હનુમંત જન્મોત્સવ પ્રસંગે મોરારિબાપુના હસ્તે શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે), નટરાજ એવોર્ડ, અભિનય ક્ષેત્રે વાચસ્પતિ-ભામતી એવોર્ડ, સંસ્કૃત ભાષા સાહિત્ય, કૈલાશ લલિતકલા એવોર્ડ, ચિત્ર, શિલ્પ અને ફોટોગ્રાફી સદભાવના સન્માન સમાજસેવા, અવિનાશ વ્યાસ એવોર્ડ ગુજરાતી સુગમ સંગીત મળીને કુલ 40 એવોર્ડ અર્પણ કરશે. કોરોનાને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ સન્માન સમારોહમાં સીમિત નિમંત્રિતોને આમંત્રિત કરાયા છે. એવોર્ડ સમારંભનું જીવંત પ્રસારણ આસ્થા ટી.વી. ચેનલ અને ચિત્રકૂટધામની યુ-ટ્યૂબ ચેનલ પરથી થશે.