મલેકપુરથી અંબાજી પદયાત્રાનું આયોજન કરાયું 

Hari

મલેકપુરથી અંબાજી પદયાત્રાનું આયોજન તા.૧૬મી ને બુધવારના રોજ કરાયું હતું.  મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે રહેતા હનુમાનજી અને  માતાના એક ભક્ત તરફથી યાત્રાળુઓના ભોજનથી માંડી  બેઠક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.  લુણાવાડા તાલુકા પંચાયતના  ભૂતપૂર્વ પ્રમુખ લીલાબેનના પતિ રમેશભાઇ શિવાભાઈ પટેલ દર વરસે  પદયાત્રાનું આયોજન કરે છે.  આ વરસે પણ માતાજીનો ભવ્ય રથ બનાવી માંને શણગારી મા અંબાના દર્શને  ભક્તોની પૂરી સુવિધા સાથે  વાજિંત્રો સહિત વરઘોડાની યાત્રા કાઢી હતી. જેમાં  રમેશભાઇ શિવાભાઈ પટેલ તથા ઉમંગભાઈ રમેશભાઈ પટેલ તથા લીલાબેન રમેશભાઇ પટેલ તથા કોકિલાબેન દેવેન્દ્રભાઈ પટેલ તથા ક્રિશ અમીતભાઈ રાવલ તથા બેન્ડ કલાકાર ખેમરાજ લુહારની ટીમ જોડાઈ હતી. વરઘોડામાં  સામાજિક કાર્યકર અને  પત્રકાર હરિપ્રસાદ રાવલે  રમેશભાઇ પટેલનું  સન્માન કર્યું હતું.