ગોટાલાવાડી ખાતે આવેલી એક લારી સરળગાવતા પોલીસને રાવ
jainshilp samachar
જૈનશિલ્પ સમાચાર, સુરત
સુરત શહેરના કતારગામ-ગોટાલાવાડી ખાતે લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હિતેશભાઈની લારી કોઈક અજાણ્યા વ્યક્તિએ પેટ્રોલથી સળગાવી હોવાનું જાણવા મળે છે. રાત્રે 12.30 થી 1.00 વાગ્યાના સમય દરમિયાન આ ઘટના બની હતી. આ અંગેની જાણ હિતેશભાઈના સગાએ કરતા હિતેશભાઈએ ઘટનાસ્થળે પહોંચી રાત્રે પી.સી.આર. વાનને ફોન કરી બોલાવી હતી. કહેવાય છે કે હિતેશભાઈ ફરિયાદ વિભાગમાં ફરિયાદ લખાવવા ગયા પણ એ.એસ.આઈ. દિલીપ ચૌધરીએ ઉદ્ધત વર્તન કર્યું હતું અને પ્રથમ ફરિયાદ લેવાની ના પાડી હતી, હિતેશભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવતા આખરે એ.એસ.આઈ. દિલીપ ચૌધરીએ ફરિયાદ સવારે લેવાનું જણાવતા હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હિતેશભાઈએ શરૂ કરી છે.