સરથાણાની જ્વેલર્સની દુકાન પર ફાયરિંગ થયું

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર, સુરત - સરથાણા વિસ્તારની એક જવેલરીની દુકાનમાં ફાયરિંગ થતાં ખળભળાટ મચી ગયો હતો. જે અંગેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ ગયો હતો.
સરથાણા વિસ્તારમાં સુખારામ જ્વેલર્સની દુકાનની બહાર અજાણ્યા વ્યક્તિએ દુકાનના કાચ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં દુકાનમાં કાર્યરત કર્મચારીઓ હેબતાઈ ગયા હતા. ઘટના કોમ્પ્લેક્સના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ હતી. ઘટના બાદ સરથાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો દોડતો થઇ ગયો હતો. ફાયરિંગથી કાચ નહિ ફૂટતા ફાયરિંગ એરગન જેવા હથિયારથી થયાનું અનુમાન છે. એફએસએલ રિપોર્ટ બાદ સાચુ કારણ જાણવા મળશે.