જલાલપોરમાં ગરબા સાથે શ્રીજી મહોત્સવનું આયોજન કરાયું

jainshilp samachar

જલાલપોરમાં ગરબા સાથે શ્રીજી મહોત્સવનું આયોજન કરાયું

જૈનશિલ્પ સમાચાર, નવસારી
નવસારી ખાતેના જલાલપોરમાં આવેલી સતાધારનગર સોસાયટીમાં ગણપતિ મહોત્સવનું આયોજન 
કરવામાં આવ્યું હતું. નવસારી શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ગણપતિ બાપ્પા મોરિયા નાદ સાથે 
લોકોમાં ભારે ઉત્સાહ છે. આગેવાનોએ ગણેશોત્સવનું આયોજન કર્યું છે જેના લીધે બાળકો અને યુવાનો 
દ્વારા પ્રત્યેક દિવસે આરતી કરાયા બાદ ગરબાનું આયોજન કરવામાં આવે છે.  આ મહોત્સવ 10 દિવસ 
સુધી અવિરત ચાલુ રહેશે. ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાના હેતુથી ગણેશની સ્થાપના કરવામાં આવે 
છે અને આરતીનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અને  બાળકો  
તેમજ યુવાનો તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા.