શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુ દત્તાત્રેય ગૌશાળામાં ખીચડીદાન કાર્યક્રમ

jainshilp samachar

શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુ દત્તાત્રેય ગૌશાળામાં ખીચડીદાન કાર્યક્રમ

કતારગામ જીઆઈડીસીની પાછળ આવેલી શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુદત્તાત્રેય ગૌશાળામાં ગત રોજ શનિવારે આ ટ્રસ્ટના પ્રમુખ જયંતિ એમ. સોલંકી દ્વારા ખીચડીદાન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ અવસરે મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમનો લાભ ઉઠાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દર મહિને ખીચડીદાન કાર્યક્રમ જયંતિ એમ. સોલંકી દ્વારા સ્વખર્ચે આયોજિત કરાય છે પરંતુ જો વચ્ચે કોઈક દાતા મળી જાય તો તેમના તરફથી ખીચડીદાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી મળે તેવા શુભ હેતુને સાકાર કરવા આ પ્રકારે જનસેવા કરવામાં આવે છે.