મહિસાગર જિલ્લાના લુણાવાડા મુકામે વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરાઈ

jainshilpsamachar

જૈનશિલ્પ સમાચાર, મહિસાગર

Hariprasad Raval

મહિસાગર જિલ્લાના લુણાવાડા મુકામે તારીખ 14મી ફેબ્રુઆરી, 2022ને સોમવારના રોજ સુથાર સમાજના અગ્રણી અને ગુજરાત રાજય નિવૃત્ત કર્મચારી સખા વતી મહામંડળ  વડોદરા/ ગાંધીનગરના માજી પ્રમુખ મણીભાઈ ગોરધનદાસ સુથાર તરફથી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. 

વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરતી વેળા કોરોના વાયરસના સંકટને નાથવા માટે નીતિ નિયમોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું મહારાજે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય હિરાભાઈ પટેલ તથા હાલના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તથા મલેકપુરના  સામાજિક કાર્યકર અને પત્રકાર હરિપ્રસાદ એન. રાવલ તેમજ સૌ આગેવાન ભાઇ, બહેનો તથા બાળકો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને પૂજા, આરતી થયા બાદ  સૌએ  પ્રસાદીનો લાભ લીધો હતો.