આજ રોજ શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખીચડીદાન કાર્યક્રમ યોજાયો

khichadidaan-MahaShivratri

જૈનશિલ્પ સમાચાર, સુરત

આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દાતા હિતેશ કે. મારૂ દ્વારા ખીચડીદાન કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
કતારગામ સ્થિત જીઆઈડીસી પાછળ આવેલા શ્રી વચ્છરાજ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગુરુ દત્તાત્રેય ગૌ શાળામાં આજ રોજ શિવરાત્રીના પાવન પર્વ અવસરે ખીચડીદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આ ટ્રસ્ટના પ્રમુખ જયંતિ એમ. સોલંકીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ઘનશ્યામભાઈ અને તેમની ટીમની ખડેપગે કરાયેલી કામગીરી રંગ લાવી હતી.