ઝવેરચંદ મેઘાણીની  પાંચા નો વેશ વાર્તાનું નાટ્યરૂપાંતરણ ભજવાયું

natyarupantar

ઝવેરચંદ મેઘાણીની  પાંચા નો વેશ વાર્તાનું નાટ્યરૂપાંતરણ ભજવાયું
ઝવેરચંદ મેઘાણીની  પાંચા નો વેશ વાર્તાનું નાટ્યરૂપાંતરણ ભજવાયું

અમદાવાદ ઃ અહમદાવાદમાં ઝવેરચંદ મેઘાણીની  પાંચા નો વેશ વાર્તાનું પરેશ વ્યાસે હિન્દીમાં કરેલું નાટ્યરૂપાંતરણ ભજવાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કોકોનેટ થિયેટર પ્રસ્તુત ગુજરાત વિદ્યાસભા અને અહમદાબાદ થિયેટર ગૃપની ગુજરાતી ભવાઈ ઝવેરચંદ મેઘાણીની વાર્તા પાંચા નો વેશ નું પરેશ વ્યાસે હિન્દીમાં કરેલા નાટ્યરૂપાંતર તાજેતરમાં આશ્રમ રોડ પર આવેલા એચ. કે. કોલેજના હોલમાં ભજવાયું હતું. જેનું દિગ્દર્શન રાજુ બારોટે અને સહ દિગ્દર્શન હર્ષદીપ જાડેજાએ કર્યું હતું. નેહા રાવલ સહિતના કલાકારોને પ્રેક્ષકોએ મનભર માણ્યા હતા. કોરોના અને લોકડાઉન પછી આવો અવસર સાંપડ્યો છે, જે અમારા માટે ખુશીની વાત છે. પ્રેક્ષકો સમક્ષ વાત રજૂ કરતા કરતા રાજુ બારોટ ભાવુક થઈ ગયા હતા.