ગુર્જર સમ્રાટ મિહિર ભોજ જયંતિ મહોત્સવ યોજાયો

અખિલ-ભારતીય-ગુર્જર-દેવસેના---ગુજરાત-રાજ્યનું-સ્નેહ-મિલન

ગુર્જર સમ્રાટ મિહિર ભોજ જયંતિ મહોત્સવ યોજાયો

જૈનશિલ્પ સમાચાર, સુરત - ગુર્જર સમ્રાટ મિહિર ભોજ જયંતિ મહોત્સવ નિમિત્તે અખિલ ભારતીય ગુર્જર દેવસેના - ગુજરાત રાજ્યનું સ્નેહ મિલનનું તા. 9મી સપ્ટેમ્બર, 2021ના રોજ શહેરના ડિંડોલી ખાતે આયોજન કરાયું હતું. દરમિયાન રાજસ્થાન, યુ.પી., મધ્યપ્રદેશ, હરિયાણાથી ગુર્જર સભ્યોએ હાજરી આપી હતી. ગુજરાત રાજ્ય યુવા સંગઠનમાં નવા તાલુકા પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. તે દરમિયાન ઉમેશભાઈ ગુર્જર, સોનગઢ તાલુકા, સંદીપભાઈ પાટીલ - કામરેજ, સાયણ, કોસંબા પરિસર પ્રમુખ, મિતેષ સુનિલ પટેલ - કુકરમુંડા તાલુકાની નિમણૂકયોગેશભાઈ પટેલ ગુજરાત યુવા અધ્યક્ષ અને મયુરભાઈ પટેલ ગુજરાત યુવા કોષાધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી. તથા ગુજરાત રાજ્ય અધ્યક્ષ રાજેન્દ્રભાઇ પાટીલ દ્વારા ગુજરાત રાજ્ય કાર્યકરની અધ્યક્ષ તરીકે જયેશભાઇ પટેલ નિમણૂક કરવામાં આવી હતી તેમજ સુરત પરિસર સચિવ તરીકે વિકાસ પટેલ અને કાન્તિલાલ પટેલની નિમણૂક કરવામાં આવી હતી. રાષ્ટીય કમિટીમાં હરીશભાઈ ગુર્જર, રાષ્ટ્રીય યુવા સંગઠન મંત્રીના પદે ભંવરલાલ ગુર્જર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં સમાજ સંગઠનને લગતી અનેક પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને સમાજ સંગઠન માટે શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિતિ તમામ ગુર્જર સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ભવિષ્યમાં આ સંસ્થા દ્વારા સમૂહ મહોત્સવ અને ગુરુકુલ કન્યાઓ માટેના મુખ્ય ઉદ્દેશ સાથે આ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.