નવસારી જિલ્લા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા કાર્યકરોનું સંમેલન યોજાયું

jainshilp samachar

નવસારી જિલ્લા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા કાર્યકરોનું સંમેલન યોજાયું

જૈનશિલ્પ સમાચાર, નવસારી
નવસારી જિલ્લામાં બહુજન સમાજ પાર્ટી નવસારી જિલ્લા યુનિટ તરફથી કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ ધરમવીર અશોક ઉપસ્થિત રહ્યા હતા. ધરમવીર ઉત્તર પ્રદેશ સરકારમાં ચાર વખત કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. જેઓ બે વખત એમ.એલ.સી. ગુજરાત રાજ્ય અને દાદરા નગર હવેલી દીવ દમણના પ્રભારી અને સાથે સાથે વેસ્ટ બંગાલ, ઓરિસ્સા, ઝારખંડના પ્રભારી રહી ચૂકેલા છે. આ સંમેલનમાં ગુજરાતના પ્રભારી સુરેન્દ્રસિંહ કલોરિયા અને દાદરા નગર હવેલી દીવ દમણની નિમણૂક કરવામાં આવી હતી જેઓ ભાઈ ખેડાજી ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન બચુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશના મહાસચીવ રતિલાલ ઠાકરીયા, અન્ય મહાસચિવ મીનાબેન રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. દરમિયાન નવસારી જિલ્લા પ્રમુખ રમેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ વેલારી, નવસારી વિધાનસભા મહિલા કન્વીનર કૈલાશબેન સોલંકી, જલાલપોર વિધાનસભા પ્રમુખ યશવંત બાવીસ્કર અને પ્રભારી કાનજીભાઈ વાઘેલા તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.