શ્રી સર્વેશ્વર ગૌધામના લાભાર્થે શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું  ભાવનગર ખાતે આયોજન ત્રીજી મે સુધી

saptah gyanyagna

શ્રી સર્વેશ્વર ગૌધામના લાભાર્થે શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું  ભાવનગર ખાતે આયોજન ત્રીજી મે સુધી

પરમ પૂ. મહંત જયદેવશરણજી મહારાજ શ્રી સર્વેશ્વર ગૌધામ કથામૃતનુ રસપાન કરાવશે

શ્રી સર્વેશ્વર ગૌધામના લાભાર્થે ભાવનગરમાં આવડકૃપા ગૃપ આયોજીત શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાનયજ્ઞ ભાવનગર સર્વેશ્વર ગૌધામના ભાભાર્થે આવકૃપા ગૃપ ભાવનગર આયોજીત પ્રગતિ મંડળની વાડી વિજયરાજનગર “વેલ્સ સર્કલ ભાવનગર ખાતે“ શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.27/04/2025 થી 03/05/2025 સુધી કરાયુ છે. શ્રીમદ ભાગવત કથા મહોત્સવ અંતર્ગત અનેક ઉત્સવો ભવ્ય રીતે ઉજવવામાં આવશે. તા: 28/04 ના રોજ કપિલ અવતાર સોમવારના રોજ રાત્રે 10 વાગ્યાથી શરૂ થશે, તા: 29/04 ના રોજ નૃસિંહ અવતાર, તા: 30/04 ના રોજ વામન અવતાર, રામ અવતાર અને કૃષ્ણ જન્મોત્સવ, તા : 01/05 ના રોજ ગોવર્ધન પૂજા, તા: 02/05 ના રોજ રૂક્ષ્મણી વિવાહ અને અંતિમ દિવસે તા: 03/05/2025 ના રોજ સુદામા ચરિત્ર ઉજવવામાં આવશે.
મહંત જયદેવશરણજી મહારાજ શ્રી સર્વેશ્વર ગૌધામ બીરાજી ગીત સંગીતના તરંગોના કલરવ સાથે પોતાની આગવી ભાવવાહી શૈલીમાં કથામૃતનુ રસપાન કરાવશે.
આ પ્રસંગે કૈલાશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવનગર સ્ટેટના સાહેબ યુવરાજ જયવિરરાજસિંહજીની વિશેષ ઉપસ્થિતિમાં પ.પૂ.મહંતશ્રી જયદેવશરણજી મહારાજને પ્રથમ “કૈલાશ રત્ન” એવોર્ડ અર્પણ કરવામાં આવશે. આ શ્રીમદ ભાગવત ગૌ સપ્તાહ જ્ઞાનયજ્ઞમા મહા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં અનેક રાજકીય મહેમાનોની ઉપસ્થિતી રહેશે.
શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી અંધ, અપંગ, નિરાધાર ગાયો તેમજ વયોવૃધ્ધ બળદોની સેવા કરતી સંસ્થાની ગૌશાળાની ભાવનગર જીલ્લાની સૌથી મોટી બિમાર ગાયોની ગૌશાળામા, ૨૦૦ કરતાં વધારે અપંગ ગાયોની સેવા થાય છે, સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ “ માં '' વિનાના બચ્ચાને મોટા કર્યા છે, ગૌશાળામાં અત્યારે રર૦૦ થી વધુ ગાયો, બળદો તથા ગૌવંશની સેવા થાય છે, ગુજરાતમાં સૌથી વધારે ૭૦ જેટલી અંધ ગાયોની સેવા કરતી ગૌશાળા, ગૌશાળામાં હાલમાં ૧૪૦૦ કરતા વધારે ઘરેથી તરછોડાયેલા, રખડતા, ભટકતા વયોવૃધ્ધ બળદોની સેવા થાય છે, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએથી આવતા બળદોને નિઃશુલ્ક રાખવામાં આવે છે, ગુજરાતની એક માત્ર એવી ગૌશાળા જયાં બળદો માટે ર૪ કલાક દરવાજા ખુલ્લા હોય છે, બિમાર ગાયો તથા વયોવૃધ્ધ બળદો માટે ડોકટરી સારવાર તથા આધુનિક ઓપરેશન થીયેટરની સેવા ઉપલબ્ધ છે, રોજના ૧૦૦૦ થી વધુ કબુતરોને ચણ નાખવામાં આવે છે, ૨૦૦૦ થી વધુ ચકલીના માળા બાંધી તેમજ ચણ નાખવામાં આવે છે, ગૌશાળામાં અવિરત અન્નક્ષેત્ર ચાલે છે, કોબડી ગામ તથા ભાવનગર ૧૦૦ વધારે ગરીબ, અસહાય, એકલા રહેતા વયોવૃધ્ધ લોકોને નિઃશુલ્ક ટીફીન સેવા આપવામાં આવે છે, ભાવનગર સર ટી હોસ્પીટલમાં દાખલ દર્દીઓ માટે અઠવાડીયામાં ૬૦૦ થી વધારે ટીફીનોની સેવા આપવામાં આવે છે, કીકાણી હોસ્પીટલ બુધેલમાં ડીલીવરી બાદ તુરંત બહેનોને શુધ્ધ ગાયના ઘી નો શીરો, રાબ અને હોસ્પીટલથી રજા મળે ત્યારે સુખડી નિઃશુલ્ક આપવામાં આવે છે, આવનારા સમયમાં ભાવનગર શહેરને નંદિ મુકત બનાવવાનું કાર્ય શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી કરવા જઈ રહી છે, શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ કોબડી સંચાલીત જય ગૌપાલ ગૌસેવા કડતાલ ધુન મંડળ દ્વારા ગૌસેવા લાભાર્થે મરણ, પૂણ્યતિથી, વાસ્તુ, શ્રાધ્ધ, જન્મદિવસ કે અન્ય મોજની ધુન કરવા માટે મો. નં. ૯૦૮૧૦ ૦૦૭, ૯૯૧૩૦ ૯૪૪૪૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.