રામકૃષ્ણ આશ્રમ દ્વારા રૂ. 10 હજારના પુસ્તકોની શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયને ભેટ

Bhet

રામકૃષ્ણ આશ્રમ દ્વારા રૂ. 10 હજારના પુસ્તકોની શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયને ભેટ

શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલય - રાજકોટમાં થતી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ દ્વારા આયોજિત વ્યક્તિત્વ વિકાસ શિબિરમાં વિદ્યાર્થિનીઓ દ્વારા બહોળા પ્રમાણમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓની ઉત્સાહપૂર્વકની સહભાગીદારીને કારણે રામકૃષ્ણ આશ્રમ દ્વારા શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયને રૂ. 10 હજારના શિક્ષણના પુસ્તકો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્યા વર્ષાબેન ડવએ આ કાર્યક્રમના પ્રતિનિધિઓ જૈમીનીબેન રાઠોડ તથા ચંદ્રેશભાઈ દવેને અભિનંદન પાઠવ્યા હતા તેમજ વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ મૂલ્ય શિક્ષણના કાર્યક્રમમાં જોડાય તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળના નિયામક હીરાબેન માંજરિયાએ ઉપરોક્ત પ્રવૃત્તિમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે સૂચન કર્યું હતું.