કાપોદ્રામાં લોક દરબારનું આયોજન કરાયું

jainshilp samachar

જૈનશિલ્પ સમાચાર, સુરત - આજ રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારની મમતપાર્ક સોસાયટીની વાડીમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર તરફથી લોક દરબારનું આયોજન કરાયું હતું. શહેરમાં વધી રહેલા ગુનાઓને રોકવા અને પોલીસ અને લોકો વચ્ચેનું અંતર ઓછું થાય એવા હેતુથી આજ રોજ કાપોદ્રા વિસ્તારમાં આવેલી મમતા પાર્ક સોસાયટીમાં એક લોક દરબારનું આયોજન કરવામાં સાવ્યું હતું. કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર તેમજ વરાછા વિસ્તારના ડીસીપી સજન સિંહ પરમાર અને એસીપી સી. કે. પટેલ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પી.આઇ. ઉપશ્ચિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો અને કમિશનર સાથે વાર્તાલાભ કર્યા હતા. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરએ જણાવ્યું હતું કે આપણા વિસ્તારમાં જે અસામાજિક  તત્વોનો ત્રાસ હોય તો જરા પણ ડર રાખ્યા વગર પોતાના વિસ્તારના પોલીસને જાણ કરવા સૂચન કરવું અથવા તો સામે આવવા ડર હોય તો પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સજેશન બોક્સ પણ મુકવામાં આવ્યું છે, તો એમાં લખીને પણ પોલીસને જાણ કરી શકો છો. પોલીસ અને લોકો વચ્ચે વાર્તાલાભ થાય તે મૂળ હેતુ લોક દરબારના આયોજનનો છે.