કોસાડ આવાસ ખાતેના ભીમરત્ન મહાબુદ્ધ વિહાર ખાતે સંકલ્પ ભૂમિ માનવંદના કાર્યક્રમ યોજાયો

Jainshilp Samachar : Jayanti M. Solanki (Owner/Editor)

કોસાડ આવાસ ખાતેના ભીમરત્ન મહાબુદ્ધ વિહાર ખાતે સંકલ્પ ભૂમિ માનવંદના કાર્યક્રમ યોજાયો

જૈનશિલ્પ સમાચાર- કોસાડ આવાસ ખાતે આવેલા નવબુદ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભીમરત્ન મહાબુદ્ધ વિહારમાં સંકલ્પ ભૂમિ માનવંદના કાર્યક્રમનું આયોજન આજ રોજ 23મી સપ્ટેમ્બર, 2021ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવબુદ્ધ યુવક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભીમરત્ન મહાબુદ્ધ વિહારના પ્રમુખ રતનભાઈ આર. નિકુમે જૈનશિલ્પ સમાચાર ચેનલના પ્રતિનિધિ સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દર વર્ષે 23મી સપ્ટેમ્બરના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરની યાદમાં સંકલ્પ ભૂમિ માનવંદના કાર્યક્રમ યોજાય છે. તેવી જ રીતે આ વર્ષે પણ આ કાર્યક્રમ યોજાયો જેમાં ઉપપ્રમુખ ધનરાજ બી. ઠાકરે, મહામંત્રી સુરેશ બરડે, સભ્ય કાશીનાથ ભાલેરાવ, સહમંત્રી સંતોષ જાદવ, સેક્રેટરી મહેન્દ્ર બૈસાણે, એશ્વંત આર. કઠરે, સલાહકાર લોટનભાઈ નાગમલ, સભ્ય મુકેશ બોરકર, અનસુયા આર. નિકુમ, સુનિલભાઈ બૈસાણે, અજયભાઈ થોરાટ, શરદભાઈ સોનવણે તથા ઉત્રાણથી આવેલા અંબાલાલ સોનવણે આનંદ બૈસાણે તથા ઈશ્વરભાઈ ઇસી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રથમ ભીમસ્તુતિ, બુદ્ધસ્તુતિ કરવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમમાં બહેનોમાં અનસુયાબેન નિકુમ, ભીખુબેન બૈસાણે, ઉષાબેન, બરડે, મંગલબેન નાગમલ, રેણુકાબેન નિકુમ તથા સરલાબેન વાઘ ઉપસ્થિત રહ્યા હતા.