શેરીના મકાનોનો સુરતી મિજાજ પ્રદર્શન

jainshilp samachar

શેરીના મકાનોનો સુરતી મિજાજ પ્રદર્શન

જૈનશિલ્પ સમાચાર, સુરત
સુરત મહાનગરપાલિકા તથા ઇન્ટેક સુરત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે કિલ્લાના ઉદઘાટન બાદ તેના પ્રચાર, પ્રસાર માટે અને પ્રસિદ્ધિ કરવા માટે તા. 4થી ઓક્ટોબરથી તા. 16મી ઓક્ટોબર, 2022 દરમિયાન સવારે 10થી રાત્રે 8 કલાક) સુધી કિલ્લા ખાતે આર્ટ ગેલેરીમાં શેરીના મકાનોનો સુરતી મિજાજ વિષય પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનના ભાગરૂપે તા. 15મી ઓક્ટોબર, 2022ના રોજ સુરત શહેરના શેરીઓના મકાનોની યાદો અને વાર્તાઓની ચર્ચા કરવા માટે ગૃપ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે. ચોક બજાર કિલ્લા ખાતે આર્ટ ગેલેરીમાં આ અંગેની ચર્ચા કરવામાં આવશે.