રાજ્યના જીઇબી એન્જીનિયર્સ એસોસિયેશન દ્વારા સ્વ. રઘુભાઇ સાવલીયાની વાર્ષિક પુણ્યતીથીએ યોજાયો મહા રક્તદાન કેમ્પ

jainshilpsamachar

રાજ્યના જીઇબી એન્જીનિયર્સ એસોસિયેશન દ્વારા સ્વ. રઘુભાઇ સાવલીયાની વાર્ષિક પુણ્યતીથીએ યોજાયો મહા રક્તદાન કેમ્પ
રાજ્યના જીઇબી એન્જીનિયર્સ એસોસિયેશન દ્વારા સ્વ. રઘુભાઇ સાવલીયાની વાર્ષિક પુણ્યતીથીએ યોજાયો મહા રક્તદાન કેમ્પ

જૂનાગઢ - જૂનાગઢ ખાતે વિશ્વ થેલસેમિયા દીવસે ગુજરાત રાજ્ય જીઇબી એન્જીનીયરસ એશોસીયેશનમાં સફળતા અને કર્મચારી/અધિકારીઓનાં પ્રતિપાત્ર બની રહેલા દીવંગત રઘુભાઇ સાવલીયાની પ્રથમ પુણ્યતીથીને ગુજરાતભરમાંથી વિજવિભાગનાં વિવિધ મંડળો સાથે સંકળાયેલ એન્જીનીયર અને કર્મચારીઓએ રક્તદાન કરી સ્વ. રઘુભાઇ સાવલીયાને ભાવાંજલી અર્પણ કરી હતી.
  આ પ્રસંગે રાજ્યનાં પીજીવીસીએલ વિજવિભાગનાં જોઈન્ટ મેનેજીંગ ડિરેકક્ટર અને સનદી સેવાનાં અધીકારી સુશ્રી પ્રિતિ શર્માએ પોતે રક્તદાતા બની દિવંગત સાવલીયાને પ્રથમ વાર્ષિક પુણ્યતિથીએ શ્રધ્ધાસુમન અર્પણ કરી ઉપસ્થિત વિજવીભાગનાં અધિકારીઓ, કર્મચારીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે ગુજરાતનાં વિજવીભાગનાં કર્મચારીઓ માનવિય સંવેદના સાથે લોકસેવામાં અગ્રેસર છે, જેના થકી પારસ્પરીક સામાજીક બંધનો થકી એક્ય અને સુમેળતાનું સંધાન થાય છે.
     આ તકે ચીફ એન્જિનિયર શ્રી ગાંધી, શ્રી જાદવ, શ્રી ભટ્ટ, જનરલ મેનેજર શ્રી મલકાન, જીબીયા કોર કમીટીનાં સભ્યો, સીએમી.સી મેમ્બર્સ, એજીવીકેએસનાં શ્રી બળદેવભાઇ પટેલ,શ્રી દેશાણી, શ્રી ચેતનસિહ, શ્રી હર્ષદભાઇએ રક્તદાન શિબીરની સફળતા બદલ આયોજક જુનાગઢ જેટકો અને પીજીવીસીએલનાં કર્મનિષ્ઠ અધિકારી/ કર્મચારીઓને બિરદાવી  શ્રી રઘુભાઇ સાવલીયાનાં પરીવારને શાતવના પાઠવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ખોડલધામનાં કારોબારી સભ્ય અને જૂનાગઢનાં જાણીતા પેથોલોજીસ્ટ ડો. જી.કે.ગજેરા, અને શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનાં મેનેજીંગ ડીરેક્ટર અને ચેરમેનશ્રી જે.કે.ઠેશીયાએ પ્રાસંગિક વક્તવ્યમાં થેલેસેમિયા દિને એક વિજવિભાગનાં કર્મનીષ્ઠ દિવંગત અધિકારીને રક્તદાન શિબિરનું આયોજન કરવા કાર્યક્રમનાં આયોજકોને બિરદાવી શ્રી રઘુભાઇ સાવલીયાનાં ધર્મપત્ની અને પુત્ર અંકીતને સધિયારો આપ્યો હતો.જૂનાગઢ ખાતે સ્વ. રઘુભાઈ સાવલિયા ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન જીબીઆ પરિવાર જૂનાગઢ દ્વારા કર્યુ જેમાં ૫૦૦ થી વધુ લોકો  ઉપસ્થિત રહી કુલ ૧૮૫ લોકોએ રક્તદાન કરી વિશ્વ થેલેસેમિયાદિને રક્તની આવશ્યકતા ધરાવતા દર્દીઓને ઉપયોગી થવા યોજાયેલ મેગા રક્તદાન કેમ્પમાં પોતાની સહભાગીતા નોંધાવી હતી. જીઈબી એન્જિનિયર એસોસિયેશન. સેક્રેટરી જનરલ શ્રી બી એમ શાહે  રઘુભાઇની જીવનઝરમર વર્ણવતા અને જીબીઆ દ્વારા થતા સમાજહિતનાં કાર્યોની વાત વર્ણવી હતી. કાર્યક્રમનાં અંતે જેટકોનાં નાયબ ઈજનેર શ્રી હરેશભાઇ વઘાસિયાએ  આભાર પ્રવચનમાં સૈા અતિથી અને રક્તદાશ્રીઓ તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ લોકોનો આભાર માન્યો.
આ પ્રસંગે જૂનાગઢ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં સભ્યોએ ઉપસ્થિત રહી રક્તદાન કરી સમાજનાં એક સંનીષ્ઠ અધિકારીની પુણ્યતીથી નિમિત્તે યોગદાન નોંધાવ્યુ હતુ. આ પ્રસંગને સફળ બનાવવા બાપા સિતારામ ગ્રુપનાં સભ્યો, કૈલાસ પાર્ટી પ્લોટનાં શ્રી મગનભાઇ અને કાર્યકર્તાઓ, જેટકો તેમજ જૂનાગઢનાં અધિકારી કર્મચારીઓએ તેમજ પીજીવીસીએલનાં ઈજનેરશ્રી પાઘડાળ, ગાજીપરા સહિત અધિકારી અને કર્મચારીઓએ તથા સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ અને અન્ય સંસ્થાઓ  જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ અને ક્મચારીઓ અને નિવૃત્ત અધિકારીઓ, હિતેચ્છુઓ હાજર રહ્યા હતા.